Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

સદ્દગુરૂ ધામમાં બિરાજતા ગણેશજી

અહિંના પારેવડી ચોક પાસે આવેલ સદ્દગુરૂધામ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોર પર દુંદાળા દેવ વિધ્નહર્તા ગણેશજીનું સ્થાપન કરવામાં આવેલ છે. આકર્ષક રોશનીથી સજ્જ સ્ટેજ પર બિરાજમાન ગણેશના દરેક ભકતો સવાર સાંજે આરતીમાં જોડાઇને ધન્યતા અનુભવતા હતા. ગણેશ મહોત્સવની તમામ વ્યવસ્થા ગોપાલ કારીયા તથા ધૈર્ય જોશીએ સંભાળી હતી. તસ્વીરમાં ગણેશજીને ધરાયેલ અન્નકુટની વાનગીઓ નજરે પડે છે. (૧૧.૪)

(3:52 pm IST)