Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

કાલે શનિવારે કડિયા સમાજ પ્રેરણા સમારોહ : પૂ.અપૂર્વમુનિ સ્વામીનું વકતવ્ય

ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજને ઉમટી પડવા નરેન્દ્રભાઈ સોલંકીની અપીલ

રાજકોટ, તા. ૨૧ : સંતવર્ય પૂ.પ્રમુખ સ્વામી મહારાજના મહોત્સવ ઉપક્રમે પૂ.મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી સમાજની સુખાકારી માટે કડીયા સમાજ પ્રેરણા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેઓએ પોતાના પ્રેરક વકતવ્યો દ્વારા અનેકને સુખી જીવનનો રાજમાર્ગ દર્શાવ્યો છે. તેવા વિદ્વાન સંત પૂ.અપૂર્વમુનિ સ્વામી પોતાની વિદ્વતાસભર અને આધુનિક અભિગમયુકત રસાળ વાણીથી ''સુખી જીવનનું ચણતર'' વિષયક વકતવ્ય દ્વારા જીવનમાં સાચા સુખની અનુભૂતિ કરાવશે.

કાર્યક્રમ તા.૨૨ને શનિવાર, સ્થળ : પ્રમુખસ્વામી સભાગૃહ, બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ.

આવતીકાલે આયોજીત કડીયા સમાજ પ્રેરણા સમારોહમાં સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજને ઉપસ્થિત રહેવા શ્રી નરેન્દ્રબાણુ (જ્ઞાતિ પ્રમુખ અને આપાગીગાના ઓટલાના મહંત) દ્વારા અનુરોધ કરાયો છે.

(3:34 pm IST)