Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

૧૬ વર્ષની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર નરેશ પરમાર પકડાયો

ભાવનગરના ભોજાવદરના કોળી શખ્સને પ્ર.નગર પોલીસે દબોચ્યો

રાજકોટ, તા. ર૧: શહેરમાં ૧૬ વર્ષની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના ગુન્હામાં પ્ર.નગર પોલીસે ભાવનગર ભોજાવદર ગામના કોળી શખ્સને પકડી લીધો છે. મળતી વિગત મુજબ શહેરની ૧૬ વર્ષની સગીરાને ત્રણ દિવસ પહેલા એક અજાણ્યો શખ્સ લલચાવી ફોસવાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હોવાની ફરીયાદ થઇ હતી. આ બનાવમાં પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ બી.એમ. કાતરીયા તથા રાઇટર સંજયભાઇ દવેએ તપાસ કરતા ભાવનગરના ઉમરાળા પાસે ભોજાવદર ગામનો નરેશ ઠાકરશીભાઇ પરમાર (ઉ.વ.૩૩)ને પકડી લીધો હતો અને તણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતા પોલીસે બળાત્કારની કલમનો ઉમેરો કરી નરેશની ધરપકડ કરી તપાસ આદરી છે.

(3:33 pm IST)