Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટી : રાજકોટ જીલ્લાના ૬૦૦ ગામોમાં બે એકતા રથ ફરશે : ડોકયુમેન્ટરી દેખાડાશે

રાજકોટ તા ૨૦ :  ભારતના લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલનું સ્ટેચ્યું અંતિમ તબ્બકામાં છે આ સંદર્ભે ગુજરાત સરકારે એકતાનો સંદેશ રાજયભરમાં વહેતો કરવા એકતા રથ કાઢવા સંકલ્પ કર્યો છે. સરકાર દ્વારા રાજકોટ કલેકટર તંત્રને પણ સુચના અપાઇ છે.

રાજકોટ જીલ્લાના ૬૦૦ થી વધુ ગામો ખાસ આવરી લેવાશે, કુલ બે રથ ફરશે. પ્રથમ યાત્રા તા. ૨૦ થી ૨૯ ઓકટોબર ખરમિયાન નીકળશે, પ્રભારીમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા લીલી ઝંડી આપશે.

બીજા તબ્બકામાં ૧૨ થી ૨૧ નવેમ્બર અરમિયાન એકતા રથ યાત્રા નીકળશે. આ  સંદર્ભે કલેકટર દ્વારા રથ ગામડા માટે નાડેેલ ઓફિસરોની મિનણુંક કરી છે, રોજના ૧૦ થછ ૧૨ ગામો આવરી લેવાશે, દરેક ગામમાં ખાસ તૈયાર કરાયેલ ડોકયુેમેન્ટરી દેખાડાશે.

(4:19 pm IST)