Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

એ.જી. સોસાયટીમાં છાતીમાં દુઃખાવો ઉપડતા નિવૃત ફોૈજી મયુરસિંહનું મૃત્યુ

રાજકોટ તા ૨૧  : કાલાવડ રોડ પર એ.જી. સોસાયટીમાં રહેતા નિવૃત આર્મીમેનનું છાતીમાં દુઃખાવો ઉપડતા તેમનું મૃત્યુ નિપજયું હતું.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર એ.જી. સોસાયટી બ્લોક નં.૬૯માં રહેતા નિવૃત આર્મીમેન મયુરસિંહ ગજરાજસિંહ જાડેજા (ઉ.વ.૫૯) રાત્રે પોતાના ઘરે હતા ત્યારે તેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા તેને તાકીદે સારવાર માટે ગીરીરાજ હોસ્પિટલમાં  ખસેડાયા હતા, ત્યાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. બનાવની જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. અજયસિંહ સહિતે કાર્યવાહી કરી હતી. બે પુત્ર એ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(3:38 pm IST)