Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

કોઠારીયા સોલવન્ટ શિતળાધારમાં યુવાનનું મોતઃ વાલીવારસની શોધ

ભરતભાઇ તરીકે ઓળખાતો હતોઃ આજીડેમ પોલીસ દ્વારા તપાસ

રાજકોટ તા. ૨૧: કોઠારીયા સોલવન્ટ શિતળાધારમાં રહેતો યુવાન બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ મારફત ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. આજીડેમ પોલીસ મથકના એએસઆઇ રવિરાજસિંહ જાડેજા તથા કોન્સ. યોગરાજસિંહ જાડેજા અને કલ્પેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક ભરતભાઇના નામથી ઓળખાતો હતો અને શાપર તરફનો હતો. તેના હાથમાં તસ્વીરમાં દેખાય છે એ રીતનું ઉચા..મ જેવું બીજી ભાષાનું લખાણ ત્રોફાવેલુ છે. મૃતકના કોઇ સગા હોય તો આજીડેમ પોલીસનો ફોન ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(1:25 pm IST)