Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

ગુંદાવાડી બજારમાં તહેવાર અંતર્ગત ભકિતનગર પોલીસનું પેટ્રોલીંગ

રાજકોટઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિમોહન સૈની, એસીપી એચ.એલ. રાઠોડની સુચના હેઠળ તહેવાર અંતર્ગત ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. વી.કે. ગઢવી અને ટીમે ગુંદાવાડી માર્કેટમાં તહેવાર અંતર્ગત ભારે ગિર્દી રહેતી હોઇ ચોર-ઉઠાવગીરો કસબ અજમાવી ન જાય તે માટે સાંજે ખાસ પેટ્રોલીંગ કર્યુ હતું. તેમજ વાહન ચેકીંગ અને શંકાસ્પદ શખ્સોનું પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું. આટીપી એપ્લિકેશનથી ૮૦ જેટલા ઇ-મેમો પણ અપાયા હતાં. તહેવાર અંતર્ગત આ કામગીરી અચાનક થતી રહેશે.

(1:23 pm IST)