Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સોમવારે બ્રહ્મરત્નોનું વિશિષ્ટ સન્માન : વિજયભાઈ હાજર રહેશે

શ્રાવણી પર્વ સમૂહ ભોજનના પાસ મેળવવા માટે તળગોળના પ્રતિનિધિઓએ ૬ રજપૂતપરા બ્રાહ્મણ બોર્ડીંગ, રાજકોટ ખાતે સાંજે ૫ થી ૭ વચ્ચે મેળવી લેવા અનુરોધ

રાજકોટ, તા. ૨૧ : સમસ્ત બ્રહ્મ સમાજ - રાજકોટ દ્વારા પ્રતિ વર્ષ શ્રાવણ માસ નિમિતે બ્રહ્મ ભોજન તેમજ જ્ઞાતિરત્નોનો સન્માન કરવાનો કાર્યક્રમ આ વર્ષે શ્રી સ્વામીનારાયણ મંદિર, પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, બીએપીએસ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે તા.૨૭ને સોમવારે સાંજે ૬ થી ૮ રાખવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે. તેમજ તેઓના હસ્તે વિવિધ ક્ષેત્રના બ્રહ્મરત્નોનું તેમજ વિવિધ સમાજના આગેવાનોનું સન્માન કરશે તેમજ બ્રહ્મસમાજને શ્રાવણી પર્વની શુભેચ્છા પાઠવશે.

આ કાર્યક્રમમાં બ્રહ્મ ગૌરવ મોમેન્ટોથી વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલા ભાઈઓ તેમજ બહેનોનું મુખ્યમંત્રીના હસ્તે બ્રહ્મગૌરવ એવોર્ડ મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવશે.

આ કાર્યક્રમ તમામ તળગોળો તથા રાજકીય પક્ષાપક્ષીથી પર રહીને સમસ્ત બ્રહ્મ સમાજના નેજા હેઠળ બ્રાહ્મણો એક થઈ અને ભાગ લેશે તેમ યાદીમાં જણાવાયું છે.આયોજનમાં કશ્યપભાઈ શુકલ, દર્શિતભાઈ જાની, જનાર્દનભાઈ આચાર્યની આગેવાનીમાં જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય, નલીનભાઈ જોષી, કમલેશભાઈ ત્રિવેદી, દક્ષેશભાઈ પંડ્યા, પ્રશાંતભાઈ જોષી, જયેશભાઈ જાની, ડો.અતુલભાઈ વ્યાસ, ડો. એન. ડી. શીલુ, સુરભીબેન આચાર્ય, નિલમબેન ભટ્ટ, ભાવનાબેન જોષી વગેરે જોડાયા છે.

(3:45 pm IST)