Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

દાઉદી વ્હોરા સમાજની આજે ઈદ : ઈદ મુબારકની આપ-લે કરી

રાજકોટ : વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હિઝહોલીનેશ ડો.સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)એ આજે સવારે મુંબઈ ખાતે બદરી મસ્જીદમાં ઈદ ઉલ અદહાની નમાજ પઢાવેલ હતી. આજે વિશ્વભરમાં તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, ભાવનર, વંથલી, જૂનાગઢ, મોરબી, જસદણ, ઉપલેટા, ધોરાજી, જેતપુર, પોરબંદર, વીંછીયા, મહુવા વગેરે દરેક ગામમાં સવારે ઈદની નમાજ પઢી ખુદા તઆલાની બંદગી કરી એકબીજાને સલામ કરી ઈદની મુબારક બાદીની આપ-લે કરેલ હતી. રાજકોટમાં નુરમસ્જીદમાં જનાબ આમીલ સાહેબ મુસ્તફાભાઈ સાહેબે ઈદની નમાજ પઢાવેલ હતી. તેમ શેખ યુસુફભાઈ જોહર કાડ્ર્સવાળાએ જણાવ્યુ હતું.(૩૭.૩)

(11:53 am IST)