Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

વોર્ડ નં. ૧૩ના વિવિધ વિસ્તારોમાં ગંદા પાણીની રેલમછેલઃ રોગચાળાનો ભય

આ સમસ્યા તાત્કાલીક હલ કરવા કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા મ્યુનિ. કમિશ્નરને લેખિત રજૂઆત

રાજકોટ, તા. ૨૦ :. શહેરના વોર્ડ નં. ૧૩ના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગંદા પાણીની રેલમછેલ થઈ રહ્યાની ફરીયાદો ઉઠવા પામી રહી છે. આ સમસ્યા તાત્કાલીક ઉકેલવા વોર્ડ નં. ૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાનીને રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે જાગૃતિબેનએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતુ કે, શહેરના વોર્ડ નં. ૧૩ના ખોડીયારનગર, લોધેશ્વર, નવલનગર સહિતના વિસ્તારોમાં ગંદાપાણીની ગટરો ઉભરાણાની અનેક વખત રજૂઆત કરવા છતા પરિસ્થિતિ જૈસે થે.. જોવાતી મળી રહી છે. ફરીયાદોનો નિકાલ કરાતો નથી. જ્યારે અમરનગર વિસ્તારમાં ડેંગ્યુના ૨ કેસો જણાયા બાદ પણ તંત્ર દ્વારા આ સમસ્યા હલ કરવા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો કર્યા હતા.(૨-૧૮)

(4:03 pm IST)