Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

આરઅેમસીના અધિકારી તરીકે ખોટી ઓળખ આપીને લોકોને છેતરનાર આરોપી કિશોર રાઠોડને પાસામાં ધકેલતાં પોલીસ કમિશ્નર

રાજકોટ : આરઅેમસીના અધિકારી તરીકે ખોટી ઓળખ આપીને લોકોને છેતરનાર રીઢા ગુનેગારને બોધપાઠ આપવા માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આરોપી કિશોર રમેશભાઈ રાઠોડ ઉ.વ.૪૭ રહે.ભાવનગરવાળાને ધરપકફ કરી પાસા હેઠળ અમદાવાદ જેલમાં મોકલી અપાયો છે.

પોલીસ કમિશ્નરની સુચનાથી પોલીસ ઈન્‍સપેકટર વી.કે.ગઢવી, અેસ.અેન.ગડુ, પીસીબી પોલીસ ઈન્‍સપેકટર પી.બી.જેબલીયા, પોલીસ હે.કો. નિલેશભાઈ મકવાણા, ઘનશ્યામભાઈ મેણીયા, પો.કો.ભાવેશભાઈ, દેવાભાઈ, મહેશભાઈ જોગડા, હે.કો.રાજુભાઈ દહેકવાલ, શૈલેશભાઈ, અજયભાઈ શુકલા વગેરે અે પાસાના વોરંટની બજવણી કરી હતી.

(5:34 pm IST)