Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિકાસ અને વહિવટી તંત્રમાં નવા પ્રાણ ફૂકતા કાર્યકારી કુલપતિ દવે

ફાયનાન્સ, એસ્ટેટ, પરીક્ષા, પ્લાનીંગ બોર્ડ અને બોર્ડ ઓફ સ્પોર્ટસ સહિત ૯ કમિટિની રચના

રાજકોટ તા. ૨૧ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. નિલામ્બરીબેન દવેએ યુનિવર્સિટીના વિકાસકામો અને વહિવટી તંત્રમાં નવા પ્રાણ પૂરવા નવ કમિટિની રચના કરી છે.

કુલપતિ ડો. નિલામ્બરીબેન દવેએ પરીક્ષા ડીફોલ્ટ કમિટિમાં સિન્ડીકેટ સભ્ય વિમલ પરમાર, ધરમ કાંબલીયા, વિજય દેશાણી, અનિરૂધ્ધ પઢીયાર, ફાયનાન્સ કમિટિમાં નેહલ શુકલ, ભરત રામાનુજ, પ્રતાપસિંહ ચૌહાણ, વિજય ભટ્ટાસણા, પ્લાનીંગ બોર્ડમાં કિશોરભાઇ ત્રિવેદી, જ્યોતિન્દ્રભાઇ મહેતા, રમેશભાઇ ટીલાળા, કિરણભાઇ પટેલ, મનીષભાઇ શાહ, ડો. કમલ ડોડીયા, આલોક ચક્રવાલ, બોર્ડ ઓફ સ્પોર્ટસમાં હરદેવસિંહ જાડેજા, ભરતભાઇ વેકરીયા, ફાલ્ગુનીબેન શાસ્ત્રી, અર્જુનસિંહ રાણા, શ્રી મોરી, શ્રી કાલવડીયા તેમજ એસ્ટેટ કમિટિમાં મેહુલ રૂપાણી, નેહલ શુકલ, ગીરીશભાઇ ભીમાણી અને આલોક ચક્રવાલનો સમાવેશ થાય છે.

પીએચડી અને એમફીલ પરીક્ષામાં સંયોજક પદે પી.જી.મારવાણીયાની વરણી થઇ છે. (૨૧.૨૫)

(4:01 pm IST)