Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

કોઠારીયા રોડ ગાયત્રી પેલેસમાં અમીબેન પરસાણાને પતિ-સાસરીયાનો ત્રાસ

પટેલ પરિણીતાએ અગાઉ આપઘાતનો પ્રયાસ કર્યો હતોઃ પતિ જયદીપ સાસુ કોકીલાબેન, નણંદ ક્રિષ્ના, નણદોય ગુંજન સામે ગુનો

રાજકોટ તા ૨૧ : કોઠારીયા રોડ પર સાધના મેઇન રોડ પર આવેલ ગાયત્રી પેલેસમાં પટેલ પરિણીતાને સોના દાગીના અને કરિયાવરની માંગણી કરી પતિ સહિતના સાસરીયાઓ ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ  જામનગર રોડ પર માધાપર ગામ પાસે વૃંદાવન સોસાયટી શેરી નં.૧ માં માવતરે રિસામણે આવેલ અમીબેન જયદીપ પરસાણા (ઉ.વ.૨૩) એ મહિલા પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં કોઠારીયા રોડ, સાધના મેઇન રોડ પર સાધના કોમયુનીટી હોલની સામેે  ગાયત્રી પેલેસ માં રહેતો પતિ જયદીપ પરસાણા, સાસુ કોકીલાબેન બાબુભાઇ પરસાણા, કાલાવડ રોડ ક્રિષ્ટલ મોલ પાસે આલાપ એવન્યુંમાં રહેતી  નણંદ ક્રિષ્ના ગુંજન વિરડીયા અને નણંદોયા ગુંજન વીરડીયાના નામ આપ્યા છે. અમીબેને ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતાના તા. ૨૮/૧૧/૧૭ ના રોજ જયદીપ પરસાણા સાથે લગ્ન થયા હતા. લગ્નબાદ પતિ સાસરીયાઓએ દોઢ માસ સારી રીતે રાખ્યાબાદ પતિ જયદીપ ગાળો આપી મારકુટ કરતો હતો અને સાસુ, નણંદ, નણદોયા ઘરકામ તથા કરીયાવર બાબતે મેંણા ટોંણા મારી શારીરીક માનસીક ત્રાસ આપતા હતા, અને સોનાના દાગીના તથા સર સામાનની અવાર નવાર માંગણી કરતા. આ ત્રાસથી કંટાળી પોતે અગાઉ ફીનાઇલ પી લીધુ હતું બાદ પોતે અને સાસરીયાના ત્રાસથી કંટાળી મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પી.આઇ. વાફ.એન. લેઉવાએ તપાસ હાથ ધરી છે. (૩.૧૨)

(2:35 pm IST)