Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

કાગદડી પાસે કાર અને બોલેરો વચ્ચે અકસ્માતમાં ઘવાયેલા વિનુબા ઝાલાનું મોત

રાજકોટ, તા., ર૧: મોરબી રોડ કાગદડી પાસે પચ્ચીસ દિવસ પહેલા કાર અને બોલેરો વચ્ચે અકસ્માતમાં ઘવાયેલા ભોમેશ્વરનગરની ગરાસીયા પ્રૌઢાનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ જામનગર રોડ ભોમેશ્વર નગર-૧ માં રહેતા વિનુબા જીતેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.પ૦) ગત તા.ર૭-૬ના રોજ પરીવારજનો સાથે સ્વીફટ ડીઝાયર કારમાં રાજકોટ આવતા હતા ત્યારે છત્તર અને કાગદડી પાસે કાર બંધ બોલેરો સાથે ભટકાતા અકસ્માત સર્જાતા વિનુબા સહીત પાંચ વ્યકિતને ઇજા થઇ હતી. બાદ વિનુબાને સારવાર માટે પ્રથમ સિવિલ હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે ગોકુલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હમીરભાઇએ કાર્યવાહી કરી હતી. (૪.૩)

(2:34 pm IST)