Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

વોર્ડ નં.૧૫માં રસીકરણ કાર્યક્રમમાં કોંગી કોર્પોરેટરો સાથે કિન્નાખોરી થતા વશરામ સાગઠીયાનો મ્યુ.કમિશનર ચેમ્બરમાં ધરણા

રાજકોટ આજથી શહેરમાં રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભ દરેક વોર્ડમાં થયો જેમાં વોર્ડનં.૧પ ના કોંગી કોર્પોરેટરો સાથે કિન્નાખોરી સીવાયના આક્ષેપ સાથે પૂર્વ વિપક્ષી નેતા, વશરામ સાગઠીયા મકબુલ દાઉદાણી કોમલબેન ભારાઇએ મ્યુ.કમિશ્નર ઉદીત અગ્રવાલની ચેમ્બરમાંજ ધરણા કર્યા હતા તે વખતની તસ્વીર, આ તકે શ્રી સાગઠીયાએ મ્યુ. કમિશ્નરને રજુઆત કરી હતી. કે વોર્ડનં.૧૫માં રસીકરણ કાર્યક્રમ અંગે સેનેટરી ઇન્સ્પેકટરે સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટરોની ગેરહાજરીમાં પણ ભાજપના કાર્યકરોની હાજરી વચ્ચે કાર્યક્રમ પુર્ણ કરી દીધો. આથી આ બાબતે સેનેટરી ઇન્સ્પેકટર સામે પગલા લેવા માંગ છે  આ બાબતે શ્રીઅગ્રવાલે યોગ્ય કાર્યવાહીની ખાત્રી આપતા કોંગી કોર્પોરેટરોએ ધરણા પુરા કર્યા હતા.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(5:01 pm IST)