Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

યોગ ભગાળે રોગઃ ત્રંબામાં યોગ દિનની ઉજવણીઃ ભૂપત બોદરનું પ્રેરક ઉદ્દબોધન

રાજકોટ :  કસ્તુરબા ધામ ત્રંબા રાજકોટ નજીક આવેલા ત્રંબામાં આવેલ આર.કે.યુનિવર્સિટી ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદર તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ નશીત તાલુકા પંચાયત સભ્ય ચેતન પાણ, ભરતભાઇ અને બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભુપતભાઇ બોદરે એવું જણાવ્યું હતું કે આધુનિક જીવનશૈલીમાં મન અનેક વૃતીઓથી ઘેરાયેલું રહે છે. આથી અસ્વસ્થ મનના કારણે તન પણ અસ્વસ્થ રહે છે. યોગથી મનસ્થિર થઇ સ્વસ્થ બને છે. એટલે તન પણ આપોઆપ સ્વસ્થ થાય છે. તનને મન સ્વસ્થ હોય તો મન સ્વસ્થ હોયતો આત્મા હંમેશા ખુશ, પ્રસન્ન રહે છે.

(3:27 pm IST)