Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન સતત બીજા દિવસે એકેય મોત નથી

રાજકોટ: શહેર - જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એકેય મોત નથી.ગઈકાલે એક પણ મોત થયું ન હતુ.

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા તા .20નાં સવારના ૮ વાગ્યા થી આજે તા.21 સવારના ૮ વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા ૨૪ કલાકમાં શહેર - જીલ્લાના એક પણ દર્દીઓના મોત નથી થયા.

શહેર અને જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 5766 બેડ ઉપલબ્ધ છે.

(12:26 pm IST)