Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

BSNL કર્મચારીઓ-અધિકારીઓ દ્વારા યોગ

રાજકોટ, તા. ૨૧ :. 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ના ૨૧ જૂન અનુસંધાને બીએસએનએલ રાજકોટ દ્વારા બીએસએનએલના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ તમામ કર્મચારી ભાઈઓ-બહેનો માટે જ્યુબીલી બાગ ટેલીકોમ એકસચેન્જ ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિરનું આયોજન રાજકોટ બીએસએનએલના પ્રિન્સીપાલ જનરલ મેનેજર શ્રી અશોકકુમાર ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પતંજલી યોગ સમિતિ-રાજકોટના યોગ ગુરૂ સર્વશ્રી જ્યોતિબેન પરમાર, દેવેન્દ્રભાઈ જોષી, ભાવિશાબેન ગોહેલ, વંદનાબેન રાજાણી વગેરે ઉપસ્થિત રહી યોગ વિશે વિસ્તૃત માહિતી માર્ગદર્શન આપી હતી.

(3:24 pm IST)