Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

શાસ્ત્રી મેદાનમાંથી બેભાન મળેલા અજાણ્યા પુરૂષનું મોતઃ વાલીવારસની શોધખોળ

મૃતકની ઉમર આશરે ૩૫ થી ૪૦: ગોઠણ નીચેથી પગ કપાયેલા

રાજકોટ તા. ૨૧: શાસ્ત્રી મેદાનમાંથી સાંજે અજાણ્યા આશરે ૩૫ થી ૪૦ વર્ષના પુરૂષ બેભાન મળતાં ૧૦૮ના જયદિપ સબાડે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતકના બંને પગ ગોઠણ નીચેના ભાગેથી કપાયેલા છે. વર્ષો પહેલા અકસ્માતમાં પગ ગુમાવ્યા હોય તેવું જણાય છે. તસ્વીરમાં દેખાતાં મૃતક વિશે કોઇને માહિતી હોય તો એ-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવો. પીએસઆઇ પી. પી. ચાવડા વધુ તપાસ કરે છે.

(11:56 am IST)