Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

સ્લમ કવાર્ટરમાં રાહુલ પરમારની હત્યામાં સામેલ સન્ની ખવળીયા સુરતથી ઝડપાયો

વાલ્મીકી યુવાનની હત્યા કર્યા બાદ સન્ની મુંબઇ અને સુરત ભાગી ગયો 'તોઃ રિમાન્ડ મંગાશે

રાજકોટ તા. ર૧ : સ્લમ કવાર્ટરમાં રામાપીર મંદિરના પટાંગણમાં પંદર દિવસ પહેલા વાલ્મીકી યુવાનની હત્યામાં સામેલ પેડક રોડ આવાસ યોજના કવાર્ટરમાં રહેતા વાલ્મીકી શખ્સને પ્ર.નગર પોલીસે સુરતથી ઝડપી લીધો છ.ે

મળતી વિગત મુજબ જામનગર રોડ સ્લમ કવાર્ટર શેરી નં. ર કવાટર નંબર-ર૦માં રહેતો રાહુલ હરીશભાઇ પરમાર (ઉ.ર૦) ની ગત તા. ૭/૬ ના મોદી રાત્રે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી કમલેશ ઉર્ફે લાલુ કાળુભાઇ પરમારે ભરઉંઘમાં જ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી આ બનાવમાં ભોગ બનનાર રાહુલની માતા જશુબેન હરીભાઇ પરમાર (ઉ.૪૦) એ પ્રનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા ઇન્ચાર્જ પીઆઇ પી.બી.સાપરા તથા રાઇટર સંજયભાઇ દવે અને વીરભદ્રસિંહ તથા ડીસ્ટાફના પીએસઆઇ. રાઠોડ સહિતે ગણતરીની કલાકમાંજ કમલેશ ઉર્ફે લાલુ કાળુભાઇ પરમાર (ઉ.૧૯) ની ધરપકડ કરી હતી. પોલીસે કમલેશ ઉર્ફે લાલુની પુછપરછ કરતા રાહુલની હત્યામાં તેનો મિત્ર સન્ની નામનો શખ્સ સામેલ હોવાની  કેફીયત આપતા તેની શોધખોળ આદરી હતી. પકડાયેલા કમલેશ ઉર્ફે લાલુ હાલમાં જેલ હવાલે કરાયો હતો.

દરમ્યાન પ્ર.નગર પોલીસે આ પ્રકરણમાં રાહુલની હત્યામાં ફરાર પેડક રોડ પર આવાસ યોજના કવાર્ટર નં. એફ.-૧૬ ત્રીજા માળે રહેતો સન્ની ભરતભાઇ ખવળીયા (ઉ.ર૪) ને સુરતથી ઝડપી લઇ પુછપરછ આદરી છે. ગત તા. ૭ ના મોડી રાત્રે સન્ની અને કમલેશ ઉર્ફે લાલએ મંદિરમાં સૂતેલા રાહૂલને પકડી સન્નીએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. બાદ સન્ની ખવળીયા મુંબઇ બાદ સુરત ભાગી ગયો હતો. પ્ર.નગર પોલીસે સન્નીની ધરપકડ કરી રીમાન્ડની માંગણી સાથે તેને રજૂ કરાશે.

(4:18 pm IST)