Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

પોપટપરાના બ્રાહ્મણ ભાવેશભાઇ વ્યાસનું બેભાન થઇ જતાં મોત

રૈયા ચોકડીએ સોડાની દુકાને બનાવ

રાજકોટ તા. ૨૧: પોપટપરા કૃષ્ણનગર-૧માં રહેતાં ભાવેશભાઇ લક્ષ્મીશંકર વ્યાસ (ઉ.૪૬) નામના બ્રાહ્મણ આધેડ રૈયા ચોકડીએ અંબિકા કોમ્પલેક્ષ પાસે આવેલી ગાંધી સોડા નામની દૂકાનમાં કામ કરતાં હોઇ ત્યાં અચાનક  છાતીમાં દુઃખાવો ઉપડતાં અચાનક બેભાન થઇ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

ગાંધીગ્રામના એએસઆઇ આર. એચ. કોડીયાતરે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ભાવેશભાઇ ચાર બહેન અને ત્રણ બહેનમાં નાના અને કુંવારા હતાં. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

બેડીપરા ચોકી સામે  રહેતાં રાજેશભાઇ કોળીનું પણ બેભાન હાલતમાં મોત

બીજા બનાવમાં બેડીપરા પોલીસ ચોકી સામે રહેતાં રાજેશભાઇ બટુકભાઇ સિતાપરા (ઉ.૩૫) નામના કોળી યુવાન સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક ચાર ભાઇ અને ત્રણ બહેનમાં છઠ્ઠા નંબરે હતાં. પોતે ચાંદી કામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્રી છે. લાંબા સમયથી તેને બિમારી હતી. આજે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ મોત નિપજ્યું હતું.

(4:04 pm IST)