Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

સદરની બેલદાર શેરીમાં ગંદા પાણીનુ વિતરણઃ ગૃહીણીઓમાં રોષઃ તંત્ર જાગે

રાજકોટઃ શહેરના સદર વિસ્તારમાં આવેલ બેલદાર શેરીમાં વ્હોરાની મસ્જીદ પાસેના વિસ્તારમાં છેલ્લા એક અઠવાડીયાથી પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળી જતા ગંદુ પાણી વિતરણ થઇ રહ્યું  છે આ બાબતે મ્યુ.કોર્પોરેશનમાં ફરીયાદ કરવા છતા કોઇ પગલા નથી લેવાયા અને ગંદાપાણીને કારણે ગૃહીણીઓ મૂશ્કેલીમાં મુકાયેલ છે. ત્થા રોગચાળાનો ભય પણ ફેલાયો છે આમ તંત્રની આ ભયંકર બેદરકારી સામે ગૃહીણીઓમાં રોષ ફેલાયો છે અને તાત્કાલીક ધોરણે આ વિસતારમાં ગંદા પાણીની સમસ્યા દુર કરવા ત્થા શુધ્ધ પાણી વિતરણ કરવા ઉગ્ર માંગ ઉઠાવી છે તસ્વીરમાં અકિલા કાર્યાલય ખાતે આપવિતી વર્ણવી રહેલી ગૃહીણીઓ નજરે પડે છે.(૬.૨૧)

(3:43 pm IST)