Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ઉત્સવ ગ્રુપ દ્વારા ગુજુભાઇના નાટય શો સાથે નવા પદાધિકારીઓનું સન્માન

રાજકોટ : મનોરંજન પીરસવામાં અગ્રેસર ઉત્સવ ગ્રુપ દ્વારા સિધ્ધાર્થ રાંદેરીયા અભિનિત નાટક 'રંગ રંગીલા ગુજુભાઇ' નાટય શો દરમિયાન મહાનગરપાલિકાના નવનિયુકત પદાધિકારીઓનું અભિવાદન કરાયુ હતુ. પ્રારંભે ઉત્સવના દિનેશ વિરાણી તથા મનુ પટેલે સૌનું સ્વાગત કર્યા બાદ નાટક કલાકારો સિધ્ધાર્થ રાંદેરીયા, તેજલ વ્યાસનું મોમેન્ટોથી સન્માન કરેલ. બાદમાં મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઇ પરમારનું સન્માન કરાયુ હતુ. જયશ્રીબેન વિરાણી, તન્વીબેન વિરાણી, પૂર્વ કોર્પોરેટર નિતાબેન વઘાસીયા, નિતીન ભૂતના હસ્તે પુષ્પગુચ્છ આપી સન્માન કરાયેલ. સમગ્ર સંચાલન અરૂણ દવેએ સંભાળ્યુ હતુ. આ તકે આગામી કાર્યક્રમો તા. ૧૨ જુલાઇના 'રંગ રંગીલા ગુજજુભાઇ' તેમજ ૨૧ જુલાઇના ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 'અવિનાશી અવિનાશ' તેમજ તા. ૨૫ અને ૨૬ જુલાઇના જગેશ મકાતી અભિનિત 'એન ઇવનીંગ વીથ શક' રજુ થશે તેવી વિગતો દિનેશ વિરાણીએ જાહેર કરી હતી. (૧૬.૫)

(3:41 pm IST)