Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

સંતોષીનગરમાં ૧૭ વર્ષની આરતી ગોહેલે ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

દિકરીના પગલાથી વણકર પરિવારમાં શોકઃ કારણ જાણવા તપાસ યથાવત

રાજકોટ તા. ૨૧: રેલનગર મેઇન રોડ પર સંતોષીનગરમાં ફાટક પાસે રહેતી આરતી રમેશભાઇ ગોહેલ (ઉ.૧૭) નામની વણકર યુવતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

આરતીએ સાંજે ઘરમાં લોખંડની આડીમાં દુપટ્ટો બાંધીને ફાંસો ખાઇ લેતાં ૧૦૮ને જાણ કરાઇ હતી. ઇએમટી હિરેન ઓનેસરાએ તેણીને મૃત જાહેર કરતાં પ્ર.નગરના પીએસઆઇ બી. પી. વેગડા અને બાબુલાલ ખરાડીએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર આરતી એક ભાઇ અને ચાર બહેનમાં ચોથી હતી. તેના પિતા છૂટક મજૂરી કરે છે. ગત સાંજે ઘરે આરતી અને નાની બહેન એકલા હતાં. ત્યારે આરતીએ રૂમ બંધ કરીને આ પગલુ ભરી લીધુ હતું. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

(1:31 pm IST)