Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

મણીયાર દેરાસર ખાતે શુધ્ધીકરણ યોજાયું

 રાજકોટ જૈન તપગચ્છ સંઘ સંચાલીત ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર (મણીયાર દેરાસર) ખાતે કન્વીનર દિલિપભાઇ પારેખના માર્ગદર્શન હેઠળ જિનાલયનું વર્ષો બાદ શુધ્ધીકરણ કરવામાં આવેલ. જેમા ૮ વર્ષથી લઇને ૮૦ વર્ષના શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા. દેરાસરની  પ્રભુજીની પ્રતિમાને સમુદ્રફીણ તથા શુધ્ધ દ્રવ્ય યુકત જલથી શુધ્ધીકરણ કરવામાં આવેલ.  આ ઉપરાંત તમામ ડેરીઓ, રંગ  મંડપ, ગર્ભ મંદીરને પણ શુધ્ધીકરણ કરવામાં આવેલ.  આ તકે પંકજભાઇ કોઠારીએ ઉપસ્થિત રહી દર  વર્ષે શુધ્ધીકરણ કરવામાં આવે તેવી ભાવના ભાવેલ.

(4:38 pm IST)