Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

સાધુ વાસવાણી રોડ પર મોબાઈલ શોપમાં ભીષણ આગ લાગતા ૪.૩૫ લાખનું નુકશાન

આગમાં ૨૦૦ જેટલા મોબાઈલ ફોન, એસેસરીઝ, ફર્નિચર, વાયરીંગ, સીસીટીવી કેમેરા, ૩૫ હજાર રોકડા પણ બળી ગયા

રાજકોટઃ સાધુવાસવાણી રોડ પર આવેલ વિનાયક કોમ્પ્લેક્ષમાં શોપ નં. ૧ મોબાઈલ શોપમાં રાત્રે એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ઈન્ડીયન પાર્કમાં રહેતા દુકાનના માલિક પંકજભાઈ રમેશભાઈ કાલાવડીયા તાકીતે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફ ૩ ફાયર ફાઈટર સાથે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આગમાં ફર્નિચર, ઈલેકટ્રીક વાયરીંગ, ૨૦૦ જેટલા નવા-જૂના મોબાઈલ, એસેસરીઝ, સીસીટીવી તથા ટેબલમાં પડેલા રૂ. ૩૫૦૦૦ રોકડા સહિતનો માલસામાન બળી ગયો હતો. આગમાં અંદાજે ચાર લાખનું નુકશાન થયુ હોવાનું દુકાનના માલિકે જણાવ્યુ છે. આગ કયા કારણથી લાગી તે જાણવા યુનિવર્સિટી પોલીસે તપાસ આદરી છે.

(4:24 pm IST)