Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

જામનગર રોડ મનહરપરામાં લીલા નાળીયેરના ધંધાર્થી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો

૩૦ વર્ષના પ્રફુલભાઇ વાળાએ પગલુ શા માટે ભર્યુ તેની તપાસ યથાવત

રાજકોટ તા. ૨૧: જામનગર રોડ પર દ્વારકાધીશ પેટ્રોલ પંપ પાછળ મફતીયાપરામાં રહેતાં અને લીલા નારીયેળ વેંચી તેમજ છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં પ્રફુલભાઇ તુલસીભાઇ વાળા (ઉ.વ.૩૦) નામના યુવાને સાંજે છએક વાગ્યે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. આપઘાત કરનાર પ્રફુલભાઇના લગ્ન થઇ ગયા હતાં.  તેઓ પરિવારના એકના એક આધારસ્તંભ હતાં. પીએસઆઇ ટી. ડી. બુડાસણા અને મહેશભાઇ કછોટે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.

(3:27 pm IST)