Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ગોંડલ ચોકડી પૂલ પાસે ચંદ્રીકાબેન રાઠોડનો ટ્રેન હેઠળ કપાઈ જતા મોત

માનસિક અસ્થિર લુહાર વૃદ્ધા ઘરેથી નીકળી ગયા હતા

રાજકોટ, તા. ૨૧ : ગોંડલ ચોકડી રાજકમલ પેટ્રોલ પંપ સામે રિદ્ધિ સિદ્ધિ પાર્કના લુહાર વૃદ્ધાએ ટ્રેન હેઠળ કપાઈ જતા મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી વિગત મુજબ ગોંડલ રોડ રાજકમલ પેટ્રોલ પંપ પાસે રેલ્વેના ગેઈટ નં. ૧૩ પાસે એક અજાણી મહિલા ટ્રેન હેઠળ કપાઈ જતા મોટ નિપજ્યુ હોવાની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઈ એ.આર. મલેક તથા રાઇટર અરૂણભાઇએ સ્થળપર પહોંચી તપાસ આદરી હતી. તપાસ કરતા આ મહિલા ગોંડલ ચોકડી પાસે રિધ્ધિ સિધ્ધિ પાર્ક-૧માં રહેતા ચંદ્રીકાબેન રમેશભાઇ રાઠોડ (ઉ.વ.૬૦) હોવાની ઓળખ મળી હતી. બનાવની જાણ થતા લુહાર વૃધ્ધાના પરિવારજનો સ્થળપર દોડી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ ચંદ્રીકાબેન માનસીક અસ્થીર હતા તે સવારેા ઘરેથી કહ્યા વગર નિકળી ગયા હતા. આ અંગે પોલીસ તપાસ આદરી છે.(૨-૨૯)

(3:58 pm IST)