Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

બેભાન હાલતમાં ત્રણ વ્યકિતએ દમ તોડ્યો

મોરબી રોડ પર રાજસ્થાની મહિલા નિલાબેનનું, જંગલેશ્વરમાં પ્રવિણભાઇ વણકરનું અને શ્રમજીવીમાં શોભનાબેન કોળીનું મોત

રાજકોટ તા. ૨૧: બેભાન હાલતમાં અને બિમારીને કારણે ત્રણ વ્યકિતના મોત નિપજ્યા હતાં. મોરબી રોડ પર પંચવટી પાર્કમાં રહેતી મુળ રાજસ્થાનની મહિલા નિલાબેન અશોકભાઇ રાજપૂત (ઉ.૩૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બી-ડિવીઝનના હેડકોન્સ. ખોડુભા જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકનો પતિ કડીયા કામની મજૂરી કરે છે. સંતાનમાં બે પુત્રી છે. જે મા વિહોણી થતાં શોક છવાઇ ગયો હતો. મૃતકને વાલ્વની બિમારી હતી.બીજા બનાવમાં જંગલેશ્વર બુધ્ધનગરમાં રહેતો પ્રવિણભાઇ મનજીભાઇ પરમાર (ઉ.૩૫) નામનો વણકર યુવાન રાત્રે દસેક વાગ્યે બિમારીથી ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. તે બે ભાઇમાં નાનો હતો અને તેને ગંભીર પ્રકારની બિમારી હતી. ભકિતનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.ત્રીજા બનાવમાં ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાસે શ્રમજીવી-૭માં રહેતી શોભનાબેન પ્રમોદ વરાણીયા (કોળી) (ઉ.૨૪) બિમારીથી બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. તેણીને ટીબીની બિમારી હતી. તેના મોતથી એક પુત્ર અને અકે પુત્રી મા વિહોણા થઇ ગયા છે. બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

(11:31 am IST)