Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

રાવકી પાસેના અંજનીધામ હનુમાનજીના સાનિધ્યમાં ૨૯મીએ સર્વજ્ઞાતિ સમુહલગ્ન

પાંચ નવદંપતિ પ્રભુતામાં પગલા પાડશેઃ સન્માન સમારોહ

રાજકોટઃ તા.૨૦, રાજકોટના માખાવડ અને રાવકી વચ્ચે અજંનીધામ હનુમાનજી વડવાળા, કાળ ભૈરવદાદા, ભાલાવાળી મેલડી માતાજીના ધર્મસ્થાનના સાનિધ્યમાંં તા.૨૯ રવિવારના રોજ યોજાયેલ છે. આ સમુહલગ્ન માં પાંચ નવદંપતી પ્રભુતામાં પગલા માંડશે. સન્માન સમારોહ સહિતના કાર્યક્રમો યોજાયા છે.

 આ પ્રસંગે પૂ. રામદાસબાપુ, પૂ. શામબાપુ મહંત આદિત્યગીરીબાપુ જમનાદાસ બાપુ, બાલદાસબાપુ દેવમોરારી સહિતના સંતો મહંતો આશીર્વચન પાઠવશે. તુલસીદાસ ગોંડલીયા જમાવટ કરશે. આયોજનમાં સેવકગણ જોડાયા છે (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(11:15 am IST)