Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

બેભાન હાલતમાં પ્રોૈઢા, વૃધ્ધા અને આધેડના મોત

પરસાણાનગરના મધુબેન મહેતા, સહકાર સોસાયટીના રાજુભાઇ ઝાલા અને સુખસાગરના ગંગાબેન ગોહેલે સિવિલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૧: બેભાન હાલતમાં જુદા-જુદા ત્રણ વ્યકિતના મૃત્યુ થયા હતાં. જેમાં પરસાણાનગર-૧૩માં રહેતાં મધુબેન વિનાયકભાઇ મહેતા (ઉ.૪૯)નસ ઘરે શ્વાસ લેવામાં તકલીફ પડતાં બેભાન જેવા થઇજતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ જાણ કરતાં પ્ર.નગરના એએસઆઇ કનુભાઇ માલવીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં સહકાર સોસાયટી-૮માં રહેતાં રાજુભાઇ ગોવિંદભાઇ ઝાલા (ઉ.૪૫) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. અહિ મોત નિપજ્યું હતુ. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ જાણ કરતાં ભકિતનગરના એએસઆઇ સુભાષભાઇ ડાંગરે જરૂરી કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં સુખસાગર સોસાયટી-૪માં રહેતાં ગંગાબેન ગગજીભાઇ ગોહેલ (ઉ.વ.૬૦) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના રામસિંહભાઇ વરૂએ જાણ કરતાં બી-ડિવીઝનના એએસઆઇ કે. યુ. વાળાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:09 pm IST)