Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

રાજકોટ સોનીબજાર સોમવાર સુધી બંધ રહેશે

મંગળવારે સ્થિતિની સમીક્ષા બાદ આગળનો નિર્ણંય લેવાશે : કોરોના વાયરસને કારણે રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,ની જાહેરાત

રાજકોટ : કોરોના વાયરસે ભારત સહીત સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવ્યો છે ગુજરાતમાં પણ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે,ત્યારે રાજકોટ જવેલર્સ એસો,એ તમામ જવેલર્સ ભાઈઓને શનિવાર-રવિવાર અને સોમવાર એમ ત્રણ દિવસ સ્વયંભૂ બંધ પાળવા અપીલ કરી છે

 રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,ના પ્રમુખ ભાયાભાઇ સાહોલિયાએ જણાવ્યું હતું કે કોરોના વાયરસને કારણે રાજકોટની ઝવેરી બજાર સોમવાર સુધી સ્વંયભૂ બંધ પાળશે, અને જરૂર જણાયે મંગળવારે સ્થિતિની સમીક્ષા કરીને આગળનો નિર્ણંય લેવામાં આવશે ભાયાભાઈએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ ગોલ્ડ ડીલર્સના તમામ સભ્યો શનિવારથી ત્રણ દિવસ સ્વૈચ્છીક બંધમાં જોડાશે એસો,ના પેલેસ રોડ,મવડી એઓંડ,યાજ્ઞિક રોડ,યુનિવર્સીટી રોડ સહિતના વિસ્તારના સભ્ય જવેલર્સ બંધમાં જોડાશે

(1:15 pm IST)