Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

દિલ્હીમાં ''રાજનિતિ કી પાઠશાળા'' ટ્રસ્ટની બેઠકમાં મહેશ રાજપૂતની પ્રમુખ પદે વરણી

રાજકોટ તા. ર૧: દિલ્હી ખાતે ''રાજનિતિ કી પાઠશાલા'' એજયુકેશનલ ટ્રસ્ટની મીટીંગ ગત તા. ૧૮ના રોજ મળી હતી જેમાં ભારતના જુદા જુદા રાજયોના આ સંસ્થાના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા જેમાં પ્રમુખ તરીકે રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતની વરણી થઇ હતી આ ઉપરાંત અન્ય હોદેદારોની નિમણૂકો પણ ટ્રસ્ટી મંડળે નકકી કરી હતી તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

સંસ્થાના સ્થાપક અજય પાંડે ત્થા મહેશ રાજપૂતની યાદીમાં જણાવ્યા પ્રમાણે પ્રમુખ ઉપરાંત કો-ફાઉન્ડર તરીકે ઓમપ્રકાશ ગર્ગ, ચેરમેનપદે ડો. કમલ અગ્રવાલ, ઉપપ્રમુખ શ્રી શીબુ સોની, રાષ્ટ્રીય પ્રવકતા તરીકે ડો. સુમિત દુબે રાષ્ટ્રીય મહામંત્રી તરીકે વિક્રમ ગોયેલ, તથા એડવાઇઝરી કમીટીના અન્ય આઠ સભ્યોની પણ વરણી કરવામાં આવી હતી.

(4:45 pm IST)