Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

કોઇ દિવાના કહતા હૈ કોઇ પાગલ સમજતા હૈ...

રાજકોટમાં ધુળેટીની પુર્વ સંધ્યાએ હિન્દી હાસ્ય કવિ સંમેલન

મ્યુ.કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આયોજનઃ દેશનાં સર્વ શ્રેષ્ઠ કવિઓ ને બોલાવવા કવાયત

રાજકોટ,તા.૨૧: મ્યુ.કોર્પોરેશન  દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ  ધુળેટી નિમિતે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવનાર  છે. આ અંગે મ્યુ.કોર્પોરેશનનાં સતાવાર સુત્રો માંથી મળતી માહિતી મુજબ મ્યુ. કોર્પોરેશન દ્વારા ૧લી મે ગુજરાત સ્થાપના દિન નિમિતે જુના ગીતનું આયોજન, ૧૯મી નવેમ્બરનાં મ્યુ.કોર્પોરેશનનાં સ્થાપના દિને બોલીવુડ સંગીત સંધ્યા તથા ધુળેટી નિમિતે હિન્દી કવિ સંમેલન સહિતનાં મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે આ વર્ષે ૧૦ માર્ચ ધુળેટી નિમિતે હિન્દી હાસ્ય કવિ સંમેલન યોજાશે.

મ્યુ.કોર્પોરેશન દ્વારા ધુળેટી નિમિતે આયોજીત હિન્દી કવિ સંમેલનમાં દેશનાં ખ્યાત નામ કવિઓને બલાવવામાં આવે છે. આ વર્ષે પણ શહેરીજનોને શ્રેષ્ઠ કવિઓને સંભાળવાનો લ્હાવો મળશે.

મ્યુ.કોર્પોરેશનનાં સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ વર્ષે ડો.કુમાર વિશ્વાસ સહિતનાં કવિઓનું  સંમેલન આયોજન કરવાનાં વિચારણા ચાલી રહી છે.

(3:23 pm IST)