Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ભાવનગર રોડ ખારચીયા પાસે કાર પલ્ટી ખાઇ જતા જસદણના અશોકભાઇ ધાંધલનું મોત

કાઠી યુવાન મિત્ર સાથે રાજકોટ આવતી વખતે અકસ્માત સર્જાયોઃ મિત્ર રાજભાઇ રાજગોરને ઇજા

રાજકોટ તા. ર૧ :.. ભાવનગર રોડ પર આવેલા ખારચીયા ગામ નજીક ગોલાઇમાં કાર પલ્ટી ખાઇ જતા જસદણના કાઠી યુવાનનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી.  મળતી વિગત મુજબ જસદણના ગંગા ભુવન સમાત રોડ પર ધોરીયા પાસે રહેતા અશોકભાઇ અનકભાઇ ધાધલ (ઉ.૩પ) રાત્રે તેના મિત્ર રાજભાઇ રાજગોર સાથે પોતાની આઇ-ર૦ કારમાં રાજકોટ આવતા હતાં. ત્યારે કારની સ્પીડ વધુ હોવાના લીધે ખારચીયા ગામ પાસે ગોલાઇમાં કાર પલ્ટી ખાઇ જતા અકસ્માત સર્જાતા અશોકભાઇ ધાધલનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું. જયારે મિત્ર રાજભાઇને ઇજા થતા તેને સારવાર માટે ૧૦૮ મારફતે જસદણ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બનાવની જાણ થતા આજી ડેમ પોલીસ મથકના પીએસઆઇ આસુંદ્રા અને રાઇટર કૌશેન્દ્રસિંહએ સ્થળ પર પહોંચી તપાસ હાાથ ધરી હતી. (પ-૧૦)

 

(11:00 am IST)