Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

ધર્મસ્થાનક પાપથી બચાવવા સ્પીડ બ્રેકરનું કામ કરે છે : પૂ.ધીરજમુનિ

પોરબંદરમાં જૈન ઉપાશ્રયનું દ્વારા ઉદ્ઘાટનઃ કાલે ઉપલેટામાં પધરામણી

રાજકોટ તા ૨૧ : શ્રી સ્થાનકવાસી જૈન સંઘ, પોરબંદર ખાતે શય્યાદાન- મહાદન પ્રણેતા પૂ.શ્રી ધીરગુરૂદેવના મંગલ પાટ બાદ અમેરીકા સ્થિત નિખીલ અને રાજેશ દફતરી પ્રેરિત આર્શ્વનાથ જૈન ઉપાશ્રયના દ્વારોદઘાટન વિધીનો લાભ જશાપરવાળા શાંતાબેન પોપટલાલ મણીયાર પરિવારના તુષાર મનહરલાલ મણીયાર ેચડાવાનો લાભ લઇને ધર્મકરણી માટે રજતતાળુ ખોલીને ધર્મસ્થાનક ખુલ્લું મુકયું હતું

તકતી અનાવરણનો લાભ રેખાબેન જગદીશ શાહે લીધેલ. પાટનો લાભ ઉષા ભુપેન્દ્ર સંઘાણી, જયશ્રી અશોક સંઘવી, જયોતિ અનિલ બાટવીયા અને રજતમાળાનો લાભ બીના જયેશ દોશીએ લીધેલ. પૂ.શ્રી કાલે ઉપલેટા પધાર્યા બાદ ૯.૩૦ કલાકે વ્યાખ્યાન યોજાશે.

 

(4:31 pm IST)