Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

મંછાનગરના ૨૩ વર્ષના કોળી યુવાન રવિ રાણેશરાનું ભુલથી એસિડ પી જતાં મોત

રાજકોટ તા. ૨૧: માર્કેટ યાર્ડ પાછળ મંછાનગરમાં રહેતાં રવિ શામજીભાઇ રાણેશરા (ઉ.૨૩) નામના કોળી યુવાનને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. તેણે એસિડ પી લીધાનું બહાર આવ્યું હતું.

મૃત્યુ પામનાર રવિ ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટો અને પરિણીત હતો. તે ઘર નજીક જ આવેલા કારખાનામાં ચાંદી કામ કરતો હતો. તેના પિતા શામજીભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. રવિના ભાઇ રાજના કહેવા મુજબ રવિ જ્યાં કામે જાય છે એ સ્થળે જ ભુલથી એસિડ પી ગયો હતો. ઘરે આવ્યા બાદ તેણે માતાને જાણ કરતાં દવાખાને ખસેડ્યો હતો પણ તેણે દમ તોડી દીધો હતો. બી-ડિવીઝન પોલીસ વધુ તપાસ કરે છે. યુવાન દિકરાના મોતથી કોળી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૫)

 

 

(12:01 pm IST)