Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

સુન્ની મુસ્લિમ ખલીફા જુણેજા પરિવાર દ્વારા રવિવારે સમૂહશાદી : રકતદાન કેમ્પ

ચાર દુલ્હા-દુલ્હન નિકાહ પઢી સવાબેદારીન હાસીલ કરશે

રાજકોટ,તા.૨૧: સુન્ની મુસ્લિમ ખલીફા જુણેજા પરીવાર દ્વારા ખલીફા એકતા સમૂહ શાદી કમિટીના સહકારથી ૨૫મીનો રવિવારના રોજ સમૂહ શાદીનો કાર્યક્રમ ગેબનશાહ પીરની દરગાહ પાસે, હુસેની ચોક, મુકામ નિકાવા, તા.કાલાવડ, જિલ્લો જામનગર ખાતે યોજાશે. આ સમૂહ શાદીમાં ૪ દુલ્હા- દુલ્હન નિકાહ પઢી એક બીજાને જીવનસાથી તરીકે સ્વીકારશે.

સમૂહ શાદીના એક દિવસ પૂર્વે ૨૪મીના શનિવારે રાતે ૧૦ કલાકે મિલાદ શરીફનો કાર્યક્રમ યોજાશેછ. જેમાં મહેમાનો માટે ભોજન રહેવાની વ્યવસ્થા કમિટી તરફથી કરવામાં આવી છે. ૨૫ મે સમૂહ શાદીનો કાર્યક્રમ યોજાશે. જેમાં નાસ્તાનો સમય સાવરે ૬ થી ૮ અને નિકાહ પઢવાનો સમય સવારે ૧૦ કલાકનો રહેશે. સવારે ૧૧:૩૦ ભોજન સમારંભ રાખેલ છે. તે જ દિવસે સાવરે ૯ થી ૨ દરમિયાન રકતદાન શિબિર યોજાશે. આ સેવા કાર્યમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ, બહેનો રકતદાન કરે તેવી કમિટીએ અપીલ કરી છે. સમૂહ શાદી દાતાઓના સહયોગ ૭૨થી વધુ વસ્તુઓ આપવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા સુન્ની મુસ્લિમ  ખલીફા જુણેજા પરીવાર તથા ખલીફા એકતા સમૂહ શાદી કમિટીના પ્રમુખ જુણેજા અબ્દુલભાઈ મંત્રી (વાંકાનેર)ના માર્ગદર્શન હેઠળ ગફારભાઈ જુમાભાઈ જુણેજા (મોટાવડા), ઈબ્રાહિમભાઈ વલીભાઈ જુણેજા (વાકીયા), લતીફભાઈ કાસમભાઈ જુણેજા (સુરત), રફિકભાઈ સતારભાઈ જુણેજા (લોધીકા), હમીદભાઈ અબ્બાસભાઈ જુણેજા (કાલાવડ), રફિકભાઈ હાસમભાઈ જુણેજા (રાજકોટ), અલ્તાફભાઈ ગુલમમદભાઈ જુણેજા (જૂનાગઢ), રજાકભાઈ જુસબભાઈ જુણેજા (જામદાદર), મહેબુબભાઈ જુમાભાઈ જુણેજા (ડૈયા), જાવીદભાઈ દાઉદભાઈ જુણેજા (જૂનાગઢ) તથા જુણેજા અનવરભાઈ દેવપરા (રાજકોટ), વસા શફીકભાઈ સોલવન્ટ (રાજકોટ), સમૂહ શાદીના આયોજનમાં જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે ૯૮૭૯૪ ૧૦૪૫૦નો સંપર્ક સાધવા યાદીના અંતમાં જણાવાયું છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:57 pm IST)