Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

શનિવારે સરકારી પ્રેસ કર્મચારીઓનો 'સ્નેહ મેળાવડો': ૨૫૦ નિવૃત્તોનું બહુમાન

રાજકોટ, તા. ૨૧ :. સરકારી પ્રેસ અને સ્ટેશનરી કર્મચારીઓની વિવિધલક્ષી સહકારી મંડળી લી. રાજકોટ સંચાલિત ગવર્નમેન્ટ પ્રેસ એમ્પ. સ્પોર્ટસ એન્ડ રીક્રીએશન કલબ દ્વારા સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી રાજકોટ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ અને અગાઉ ફરજ બજાવી ચુકેલા તમામ નિવૃત્ત કર્મચારીઓના એક 'સ્નેહ મેળાવડા'નું આયોજન તા. ૨૪-૨-૨૦૧૮, શનિવાર સાંજના ૪.૦૦ કલાકે સરકારી પ્રેસ રાજકોટ ખાતે કરેલ છે. શ્રી વી.એમ. રાઠોડ (નિયામકશ્રી સરકારી મુદ્રણ અને લેખનસામગ્રી, ગાંધીનગર)ના અધ્યક્ષ સ્થાને અને ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમમાં અંદાજે ૨૫૦ જેટલા નિવૃત્ત કર્મચારીઓનું બહુમાન કરવામાં આવશે. સરકારી પ્રેસ રાજકોટ ખાતે ફરજ બજાવી ચુકેલ તમામ હૈયાત કર્મચારીઓ અને હાલમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને આ સ્નેહ મેળાવડામાં પધારવા સંસ્થા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે. સ્નેહ મેળાવડા અંતર્ગત ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવેલ છે.

(3:53 pm IST)