Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

વાણીયાવાડીમાં પીજીવીસીએલના નિવૃત અધિકારી વી.એન. બુચના ઘરમાં પણ ૫૧ હજારની ઘરફોડી

પરિવારજનો બીલખા ગુરૂદેવના દર્શને ગયા ને ઘરે તસ્કરોએ પગલા પાડ્યા

રાજકોટ તા. ૨૧: તસ્કરોએ વાણીયાવાડી-૪માં રહેતાં પીજીવીસીએલના નિવૃત સિનીયર અધિકારી વિનયભાઇ નરેન્દ્રરાય બુચ (નાગર) (ઉ.૬૨)ના ઘરમાં પણ પગલા પાડી રૂ. ૫૧૪૦૦ની માલમત્તાની ચોરી કરી છે.

વિનયભાઇ બુચની ફરિયાદ પરથી ભકિતનગરના પી.એસ.આઇ. ડી.એ. ધાંધલીયાએ ફરિયાદ નોંધી છે. વિનયભાઇ, તેમના ધર્મપત્નિ અને પુત્રી ૧૨/૨ના બપોરે ત્રણ વાગ્યે ઘરને તાળા લગાવી બીલખા આનંદ આશ્રમે ગુરૂદેવના દર્શને ગયા હતાં. ત્યાંથી બીજા દિવસે પરત આવ્યા ત્યારે ચોરી થયાની ખબર પડી હતી.

તસ્કરો મુખ્ય દરવાજાનું તાળુ તોડી કબાટમાંથી રૂ. ૫૫૦૦ રોકડા તથા રસોડાના કબાટમાંથી સોનાના દાગીના રૂ. ૪૫ હજારના તથા ઉપરના માળે આવેલા કબાટમાંથી ચાંદીના સિક્કા ત્રણ નંગ મળી કુલ રૂ. ૫૧૪૦૦ની મત્તા ચોરી ગયાની ખબર પડી હતી. જે તે દિવસે પોલીસને જાણ કરાઇ હતી. તપાસને અંતે ગુનો નોંધવામાં આવ્યો છે.

(11:20 am IST)