Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

પૂ.સોનલબાઈ મહાસતીજીના જન્મદિન નિમીતે સોનલવર્ણા સોનલ સદાવ્રત સમારોહ

રાજકોટઃ ગોં.સંપ્ર.નાં સૌરાષ્ટ્રના સિંહણ વચન સિધ્ધીકા, તીર્થ સ્વરૂપા, ભગવાન  તુલ્ય પૂ.શ્રી ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામ (નાલંદા ઉપાશ્રય)માં સ્વર કિન્નરી બા.બ્ર.પૂ. શ્રી સોનલબાઈ મહાસતીજીના ૬૩માં જન્મ દિવસ પ્રસંગે સોનલવર્ણા સોનલ સદાવ્રત સમારોહ સંપન્ન થયો હતો. સાધર્મિક બંધુઓને સુપર નવકારશી કરાવવામાં આવી હતી. બાદમાં ૨૦૦ પરિવારજનોને જીવન જરૂરિયાતની વિવિધ ૧૫ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ રોકડ રૂપિયા ૭૦ની પ્રભાવના પણ કરાઈ હતી.

(3:13 pm IST)