Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

જંગલેશ્વરમાં લૂંટના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર મોઇનબીન પકડાયો

રાજકોટ, તા. ર૧ : શહેરના જંગલેશ્વરમાં ત્રણ વર્ષ પહેલા થયેલી લૂંટ અને મારામારીના ગુનામાં ફરાર શખ્સને ભકિતનગર પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. જેબલીયા, હેડ કોન્સ. મહેન્દ્રસિંહ, વિક્રમભાઇ, સલીમભાઇ, ભાવેશભાઇ, રવિરાજભાઇ, વાલજીભાઇ, વિશાલભાઇ અને દિવ્યરાજસિંહ સહિત નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પેટ્રોલીંગમાં હતાં ત્યારે કોન્સ. ભાવેશભાઇને મળેલી બાતમીના આધારે જંગલેશ્વર હસનશા પીરની દરગાહ પાસેથી મોઇનબીન ઇમ્તીયાઝબીન કસીરી (રહે. જંગલેશ્વર મેઇન રોડ અંકુર સોસાયટી શેરી નં.૬) ને પકડી લીધો હતો. પકડાયેલ મોઇનબીન કસીરી જંગલેશ્વરમાં થયેલી લૂંટ અને મારામારી ગુન્હામાં ત્રણ વર્ષથી ફરાર હતો.

(4:04 pm IST)