Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

જંગલેશ્વરમાં હત્યાની કોશીષ અને મારમારીના ગુન્હામાં સામેલ શાહજહા, રફીક અને અંજુમને પાસા

શાહજહાં ઉર્ફે ગોટીયાને વડોદરા, રફીક ઉર્ફે બોડીગાર્ડને અમદાવાદ અને અંજૂમને સુરત જેલમાં ધકેલાયા

રાજકોટ, તા. ર૧ :  શહેરના જંગલેશ્વરમાં બે મુસ્લીમ પરિવાર વચ્ચે થયેલી માથાકુટ બાદ હત્યાની કોશીષ અને મારારીના ગુન્હામાં સામેલ ત્રણ શખ્સોને પાસામાં ધકેલી દેવાયા છે.

જંગલેશ્વર વિસ્તારમાં તા. ર૬/૧૧ ના રોજ બે પરિવાર વચ્ચે મારમારી થતા ભકિતનગર પોલીસે હત્યાની કોશિષ સહિતની કલમ હેઠળ સામસામી ફરીયાદ  દાખલ કરી ડઝનથી વધુ શખ્સોની ધરપકડ કરી હતી. આ મામલે શહેર પોલીસ કમિશનરને પસીબી શાખાના પીઆઇ એસ. એન. ગડુ તથા હેડ કોન્સ. રાજુભાઇ, શૈલેષભાઇ, અજયભાઇ, ઇન્દ્રજીતસિંહ, રાહુલગીરીએ આ ગુન્હામાં સામેલ ત્રણ શખ્સોને પાસામાં ધકેલવા માટેની દરખાસ્ત કરતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે. ગઢવી, પીએસઆઇ પી.બી. જેબલીયા, હેડ કોન્સ. નિલેષભાઇ, ઘનશ્યામભાઇ, મહેન્દ્રસિંહ ભાવેશભાઇ, વિશાલભાઇ, રવિભાઇ તથા હોમગાર્ડ હાર્દિકભાઇ સહિતે જંગલેશ્વર શેરી નં.૧૧ના શાહજહા ઉર્ફે ગોટીયો સુલેમાનભાઇ ઉર્ફે કાળુભાઇ વીશર (ઉ.વ.રપ), જંગલેશ્વર શેરી નં. ૭ના રફીક ઉર્ફે બોડીગાર્ડ ઇસુબભાઇ ઉર્ફે કાળુભાઇ જુણેજા (ઉ.વ.૩પ) અને જંગલેશ્વર શેરી નં. ૯/૧૩ ના અંજમ ઇસ્માઇલભાઇ ખીયાણી (ઉ.વ.૪૯) ની પાસા તળે અટકાયત કરી વડોદરા, અમદાવાદ અને સુરત જેલમાં ધકેલી દીધા હતા.

(3:57 pm IST)