Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

મામા સાથે થાનગઢ વાડીએ જમવા માટે ગયેલા ગોપાલનગરના અમિતભાઇનું કૂવામાં પડી જતાં મોત

સોની યુવાનના મોતથી દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ ગેડીયા (સોની) પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૧: ગોપાલનગરમાં રહેતાં સોની યુવાનનું થાનગઢમાં આવેલી કાઠી દરબારની વાડીએ અકસ્માતે કૂવામાં પડી જતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ ગોપાલનગર-૧/૫માં રહેતાં અમિતભાઇ સૂર્યકાંતભાઇ ગેડીયા (સોની) (ઉ.વ.૪૦) ગઇકાલે તેના મામા સુરેશભાઇ મદાણી સાથે થાનગઢમાં આવેલી તેમના મિત્રની વાડીએ ગયા હતાં. ત્યાં મિત્રો ભેગા થયા હોઇ જમણવાર રાખ્યો હતો. સાંજે આઠેક વાગ્યે અમિતભાઇ વાડીમાં આટો મારતા-મારતા કૂવો જોવા જતાં પગ લપસી જતાં અંદર પડી ગયા હતાં. મામા તથા વાડી માલિક અને બીજા મિત્રોને જાણ થતાં તેને બહાર કાઢી બેભાન હાલતમાં હોસ્પિટલે અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ તેનું મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે થાનગઢ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર અમિતભાઇ સોની કામ કરતાં હતાં અને બે ભાઇ તથા બે બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં એક દિકરી છે. બનાવને પગલે સોની પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. બનાવ અકસ્માતે જ બન્યાનું મૃતકના મામાએ જણાવ્યું હતું.

(11:29 am IST)