રાજકોટ,તા.૨૧: જાગનાથ શ્વે.મુર્તિપૂજક જૈન સંઘના આંગણે બે- બે મુમુક્ષુઓની દિક્ષાનો પાવન અવસર શુક્રવાર તા.૨૫ના રોજ યોજાનાર છે. આ પાવન પ્રસંગે ગચ્છાધિપતિ કાંકરેજ કેસરી પ.પૂ.આ. દેવકલ્પજયસૂરીશ્વરજી મહારાજાનું પુનિત સાનિધ્યમાં આ પ્રવજયા પર્વોત્સવ યોજાનારા છે. ત્રિદિવસીય મોહત્સવમાં બુધવાર તા.૨૩થી ધર્મોત્સવ યોજાશે.ઙ્ગ
આ દિક્ષા મહોત્સવમાં અંબરથી અમીદ્રષ્ટિ પ.પૂ.સા.જયશ્રીજી મ.સા., પ.પ.પ્ર.સ.લાવણ્યશ્રીજી મ.સા., પ.પૂ.સા.હેમશ્રીજી મ.સા., પ.પૂ.સા.સુરેન્દ્રશ્રીજી મ.સા., પ.પૂ.સા.પુન્યપ્રભાશ્રીજી મ.સા., પ.પૂ.સા. અમીરસાશ્રીજી મ.સા., પૂ.સા.જીનેશ્વરાશ્રીજી મ.સા. કરશે.
જયારે પ.પૂ.સા. હેમ- સુર- પુન્ય- અમીરસાશ્રીજી મ.સા.નાં શિષ્યા પ્રશિષ્યા પ.પૂ.સા.હર્ષધરાશ્રીજી મ.સા., પ.પૂ.સા.મોક્ષધર્માશ્રીજી મ.સા., પ.પૂ.સા. પ્રશમધર્માશ્રીજી મ.સા., પ.પૂ.સા. અક્ષરયરસા શ્રીજી મ.સા, પ.પૂ.સા. અપૂર્વરસાશ્રીજી મ.સા., પ.પૂ.સા. કૈવલ્યરસાશ્રીજી મ.સા., પ.પૂ.સા. પ્રમિતરસાશ્રીજી મ.સા., પ.પૂ.સા. કાર્યદક્ષાશ્રીજી મ.સા., પ.પૂ.સા. કાર્યદક્ષાશ્રીજી મ.સા., પ.પૂ.સા. કૃતપુન્યાશ્રીજી મ.સા., પ.પૂ.સા.ધન્યતાશ્રીજી મ.સા., પ.પૂ.સા.મગ્નતાશ્રીજી મ.સા., પ.પૂ.સા.હિતસ્વીતાશ્રીજી મ.સા., પ.પૂ.સા.મૈત્રીધરાશ્રીજી મ.સા., પ.પૂ.સા.જીતપુન્યાશ્રીજી મ.સા. આદિઠાણા શ્રમણીવૃંદનું સાનિધ્ય રહેશે.
અવનીતલથી આશીષ વૃષ્ટિ પ.પૂ.સા.રત્નરેખાશ્રીજી મ.સા., પ.પૂ.સા.ભવ્યરસાશ્રીજી મ.સા., પ.પૂ.સા. ભાવપૂર્ણાશ્રીજી મ.સા. વરસાવશે. ઉપરાંત પ.પૂ.પ્ર.સા.જય- લાવણ્યશ્રીજી મ.સા.નો પરિવાર, પૂ.સા.સત્યાનંદશ્રીજી મ.સા, પૂ.સા.નયનાશ્રીદશ્રીજી મ.સા., પૂ.સા.શીલરત્નાશ્રીજી મ.સા.નો પરિવાર, પ.પૂ.પ્ર.સા હેમલતાશ્રીજી મ.સા.આદિ, પ.પૂ.પ્ર.સા.વિદ્યુતપ્રભાજીશ્રીજી મ.સા.નો પરિવાર, પ.પૂ.સા.કંચનશ્રીજી મ.સા.નો પરિવાર, પ.પૂ.સા. પ્રશમરસાશ્રીજી મ.સા. આદિઠાણા પધારશે.
સાગરસમુદાયનાં પ.પૂ.સા. વિપુલયશાશ્રીજી મ.સા. આદિ, પ.પૂ. કલાવતીશ્રીજી મ.સા.આદિઠાણા પધારશે.
પૂજયશ્રી ગચ્છાધિપતિની પાવન પધરામણી પ્રસંગે ભવ્યનગર પ્રવેશ યોજાયેલ. તેમજ તા.૨૦ના રોજ શ્રી પ્રહલાદ પ્લોટ જૈન સંઘ મધ્યે સવારે પુજયશ્રીનું પ્રવચન બાદ મુુમુક્ષુ ચાંદનીબેનનું બેઠુ વરસીદાન યોજાયેલ. આજે તા.૨૧ના રોજ સવારે ૭ કલાકે પૂ.ગચ્છાધિપતિશ્રી સપરિવાર શ્રી આદીનાથ ગૃહ ચૈત્ય જિનાલય, જીમખાના મેઈન રોડ, ગોપાલ મંડળ સર્વિસ પાસે, સ્થળેથી શ્રી જાગનાથ શ્વે.મૂ.પૂ. જૈન સંઘમાં પાવન પધરામણી કરેલ.
આ સમગ્ર મહોત્સવના લાભાર્થી જામભાણવડ નિવાસી શેઠશ્રી પ્રેમચંદ કચરાણી મહેતા સપરિવાર તથા લતીપુર નિવાસી મંજુલાબેન મનહરલાલ દોશી સપરિવાર છે.
મહોત્સવના પ્રથમ દિવસે તા.૨૩ને બુધવારે સવારે ૭ કલાકે પ્રભાતીયા, ૯ કલાકે શ્રી સિધ્ધયક મહાપૂજન (શ્રી ધર્મનાથજી જિનાલય, જાગનાથ રાજકોટ), બપોરે ૨ કલાકે મુમુક્ષુના કપડાં રંગવાનો કાર્યક્રમ સહ સામુહિક સાંજી (આરાધના ભવન, જાગનાથ, રાજકોટ), રાત્રે ૮ કલાકે સમસ્ત રાજકોટનાં જૈન સંઘો તરફથી મુમુક્ષુનું બહુમાન સંગીતમય સંવેદના ''સંયમ રંગ લાગ્યો'' ભકિત વિનય વિરતિ વાટિકા, પ્રમુખ સ્વામી સભા ગૃહ, સ્વામીનારાયણ મંદિર કમ્પાઉન્ડ, કાલાવડ રોડ ખાતે યોજાશે. જેમાં સંવેદક ભાવિક મહેતા (અમદાવાદ) તથ ભકિતકાર દિનેશભાઈ પારેખ રહેશે.
જયારે બીજા દિવસે તા.૨૪ને ગુરૂવારે સવારે ૭ કલાકે પ્રભાતીયાં, ૯ કલાકે વરસીદાનનો ભવ્યાતિભવ્ય વરઘોડો શ્રી પ્રહલાદ પ્લોટ જૈન સંઘથી મંગલ પ્રારંભ થઈ રાજમાર્ગ ઉપર થઈ જાગનાથ જૈન સંઘ ઉતરશે, ૧૧:૩૦ કલાકે બેઠું વરસીદાન (શ્રી જાગનાથ જૈન સંઘ મધ્યે), સાંજે ૪:૩૦ કલાકે મુમુક્ષુના અંતિમ વાયણાં (તેમના નિવાસસ્થાને), રાત્રે ૮:૩૦ કલાકે ''રૂડા રાજ મહેલને ત્યાગી ઓલા ચાલ્યા રે વૈરાગી'', સંવેદનાઃ ઉતમભાઈ છેડા (મુંબઈ), ભકિતકાર દિનેશભાઈ પારેખ દ્વારા ભકિત વિનય વિરતિ વાટિકા, પ્રમુખ સ્વામી સભાગૃહ સ્વામીનારાયણ મંદિર, કમ્પાઉન્ડ કાલાવડ રોડ ખાતે યોજાશે.
દિક્ષા મહોત્સવના દિવસે તા.૨૫ને શુક્રવારના રોજ ૯ કલાકે મહિલા કોલેજ ચોકથી સામૈયાનો પ્રારંભ થશે, ૯:૨૫ કલાકે શુભ મુહુર્તે દિક્ષાવિધિનો પ્રારંભ થશે. જેમાં સંવેદના ઉતમભાઈ છેડા (મુંબઈ) ભકિતકાર દિનેશભાઈ પારેખ ભકિતરસ પીરસશે, બપોરે ૧૨ કલાકે સાધર્મિક ભકિત યોજાશે.
મહોત્સવ સ્થળ શ્રી જાગનાથ શ્વે.મુ.જૈન સંઘ શ્રી ધર્મનાથજી જિનાલય, ૪/૧૪ જાગનાથ પ્લોટ, દિક્ષાનું પાવન સ્થળ ભકિત વિનય વિરતિ વાટિકા પ્રમુખ સ્વામી સભાગૃહ સ્વામીનારાયણ મંદિર કમ્પાઉન્ડ, કાલાવડ રોડ તથા પ્રિતીભોજન ભરતચક્રી ભોજન મંડળ, કાઠિયાવાડ જીમખાના ગાર્ડન નં-૧, રાજકુમાર કોલેજ (આરકેસી) સામે રાખેલ છે.મુમુક્ષુઓની છાબના લાભ મુમુક્ષુ હંસાબેન ખીમચંદભાઈ મહેતા પ્રેમચમંદ કચરાણી મહેતા સપરિવાર, કું.ચાંદની પ્રદિપભાઈ દોશી- મંજુલાબેન મનહરલાલ દોશી સપરિવાર લીધેલ છે.(૩૦.૮)