Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

સ્વ.અભયભાઇ ભારદ્વાજના જન્મદિને રણછોડદાસજી બાપુ આશ્રમ નેત્ર સેવાયજ્ઞ યોજાયો

૩૪૬ દર્દીઓએ નેત્ર સેવા યજ્ઞનો લાભ લીધોઃ ભાવેશ ડાંગર-રમેશ ડાંગરનો સેવાયજ્ઞ

રાજકોટઃ પીઢ પ્રખર ધારાશાસ્ત્રી અને  રાજયસભાના સાંસદ સ્વ.અભયભાઇ ભારદ્વાજના જન્મદિવસે શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ અને જાણીતા યુવા અગ્રણી ભાવેશભાઇ ડાંગર અને રમેશભાઇ ડાંગરના સંયુકત ઉપક્રમે વિનામુલ્યે શ્રી સદગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયો.  આ પ્રસંગે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર સહીતના ઉપસ્થિત  રહયા હતા. નેત્ર સેવાયજ્ઞમાં ૩૪૬ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. દરેકને પ્રસાદ-નાસ્તો-દવા-ટીપા-ચશ્મા અને સોફટ ફોલ્ડેબલ નેત્રમણી સાથે આધુનિક ફેકો મશીનથી ટાંકા વગર ઓપરેશન કરવામાં આવ્યા હતા.

(3:24 pm IST)