Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

સોરઠીયા રાજપુત સમાજના ધો.૧૦-૧૨ના ૭૦ તારલાઓને ફૂલડે વધાવાયા

રાજકોટઃ સોરઠીયા રાજપુત યુવા ભાઈ- બહેનો દ્વારા કાર્યરત સોરઠીયા રાજપુત યુથ કલબ દ્વારા સોરઠીયા રાજપુત સમાજનાં ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સ અને કોમર્સ પ્રવાહમાં પાસ થનાર દરેક વિદ્યાર્થીને સન્માન પત્ર આપી સન્માનીત કરવાનો સોશ્યલ ડીસ્ટન્સ સાથેનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.

સમગ્ર ગુજરાતમાં ધો.૧૨માં બોર્ડ ફર્સ્ટ આવી સોરઠીયા રાજપુત સમાજને ગૌરવ અપાવનાર કુમારી મેઘના ચૌહાણને સોરઠીયા રાજપુત સમાજનાં પ્રમુખશ્રી વિજયભાઈ ચૌહાણનાં વરદ હસ્તે મોમેન્ટો સોરઠીયા રાજપુત રાજપુત યુથ કલબનાં ભાર્ગવ પઢીયાર, વિજયસિંહ ચૌહાણ (શ્રીશ્રી ઓમ ફાયનાન્સ), અલ્પેશ ગોહીલ દ્વારા અર્પણ કરવામાં આવેલ હતો. આ સન્માન સમારોહમાં ધો.૧૦ અને ધો.૧૨નાં કુલ ૭૦ છાત્રાઓને સન્માન પત્ર અર્પણ કરવામાં આવેલ હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા સોરઠીયા રાજપુત યુથ કલબનાં ભાર્ગવ પઢીયાર, વિજયસિંહ ચૌહાણ, અલ્પેશ ગોહીલ, હિરલબેન રાઠોડ, વિરલભાઈ રાઠોડ, ગૌરવભાઈ ચૌહાણ, મિલનભાઈ પરમારએ જહેમત ઉઠાવેલ હતી.

(2:48 pm IST)