Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

બેભાન હાલતમાં નટરાજનગર ગોપાલ ચોકના જગદીશભાઇ નિમાવતનું મોત

શિવવાટીકામાં ચક્કર આવતાં પડી જતાં પરપ્રાંતિય મહિલાનું મોત

રાજકોટ તા. ૨૨: જુદા જુદા બે બનાવમાં બેભાન હાલતમાં બાવાજી આધેડ તથા પરપ્રાંતિય મહિલાના મોત નિપજ્યા હતાં.

સાધુ વાસવાણી રોડ ગોપાલ ચોક નટરાજનગરમાં રહેતાં જગદીશભાઇ ગોરધનભાઇ નિમાવત (ઉ.વ.૪૫)ને કેન્સરની બિહારી હોઇ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. મૃતક બે બહેનના એક જ ભાઇ હતાં અને રિક્ષા હંકારતા હતાં. સંતાનમાં એક પુત્ર છે.

બીજા બનાવમાં ૧૫૦ ફુટ રીંગ રોડ પુનિતનગરમાં શિવ વાટીકા બી-૪૭માં રહેતાં સેવારાબેન ગંગારામ શાહુ (ઉ.૪૧)ને ચક્કર આવ્યા બાદ સાંજે ઘરે પડી જતાં બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃતકના પતિ કારખાનામાં કામ કરે છે. તે મુળ યુપીના છે. સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. બનાવથી બંને પરિવારોમાં શોક છવાઇ ગયો હતો.

(12:43 pm IST)