Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક :તેલના ભાવમાં વધુ ઘટાડો થવાની શકયતા

મગફળીની આવક થતાં જ ડબામાં રૂપિયા 30નો ઘટાડો

રાજકોટ : રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકડાઉન ના કારણે  મગફળી અને અન્ય જણસીની આવક બંધ હતી તાજેતરમાં લોકડાઉન 4.0 અમલમાં આવતા ખેડૂતો પાસે રહેલી મગફળી રાજકોટ માર્કેટ યાર્ડમાં લઇ પહોંચ્યા છે. થોડા દિવસો પહેલા સીંગતેલના ભાવોમાં વધારો થયો હતો, કારણ કે મગફળીની આવક ઘટી હતી. હવે આજે યાર્ડમાં મગફળીની આવક થતાં જ ડબામાં રૂપિયા 30નો ઘટાડો થયો છે.

(11:12 am IST)