Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોલકાતામાં નવલખા ઉપાશ્રયે પૂ.ધીરગુરૂદેવનું પદાર્પણ

રાજકોટ,તા.૨૫: શ્રી કોલકતા સ્થાનકવાસી જૈન સંઘ, નવલખા ઉપાશ્રયે પૂ.શ્રી ધીરગુરૂદેવ તથા સાધ્વીજી પૂ.નયનાજી મ.સ., પૂ.મીનાજી મ.સ., પૂ.સુનંદાજી મ.સ. ખડગપુરથી કોલાઘાટ, રાહુલ કમાણી- ઉરૂબેરીયા થઈને તા.૨૪ને મંગળવારે હાવરા બ્રિજ થઈ મંગલ પદાર્પણ કરેલ છે. સંઘના ટ્રસ્ટીઓ તેમજ જૈન ભવનના પ્રમુખ વગેરેએ વિહારની વ્યવસ્થા કરેલ.

પૂ.ગુરૂદેવે કોરોના વાયરસ મહામારીની વિકટ સ્થિતિમાં ડરવાની જરૂર નથી. તેમ જણાવી ઉમેર્યું હતું કે સતત સાવધાની રાખવી અતિ જરૂરી છે. કમધ્યમંગલ લોગસ્સનો પાઠ તેમજ ''આરગ્ગા બોહિલાભં''નો જાપ કરવા પ્રેરણા કરેલ.

ઘરમાં જેટલી પ્રભુની ભકિત તેમજ સદ્દવાંચન અને આડોશી- પાડોશીને ઉપયોગી બની રહેવા અનુરોધ કરેલ. દિલેશભાઈ પટેલે ગુરૂવંદના વગેરેમાં વિવેક રાખવા જણાવેલ.

(3:44 pm IST)